છગનભા, Chhaganbha

chhaganbha.jpgગુજરાતમાં કેળવણીની ક્રાંતિ કરનાર વિભૂતિ - ચાર ચોપડી ભણેલા માણસના કામમાંથી યુનિવર્સીટી બની.

“ હું મારા દેશના લોકોને કહું છું કે, તમે ચેતજો અને પરમ કૃપાળુ પરમાત્માએ તમને બક્ષેલાં તન-મન-ધન કે જ્ઞાન, જે હોય તે પરમાર્થે વાપરશો તો ક્યારેય પસ્તાવું પડશે નહીં .

પ્રેરક સૂત્ર આગળ ધસો.
_________________________________________________________________________________

નામ

  • છગનલાલ પટેલ

જન્મ

  • 11- નવેમ્બર , 1863; સરઢવ જિ. મહેસાણા

અવસાન

  • 22 – ડીસેમ્બર , 1940; કડી

કુટુમ્બ

  • માતા- કૃષ્ણામા; પિતા – પીતાંબરદાસ

અભ્યાસ

  • લુણસાવાડામાં અઢાર વર્ષની ઉમ્મરે ગુજરાતી ચાર ચોપડી

વ્યવસાય

  • અમદાવાદમાં લાકડાની લાટીમાં કામ

  • પછી અમદાવાદમાં શરાફી પેઢીમાં અને પછી પોતાની લાટીમાં ધંધો

  • 1893 - ધંધો આટોપી વતનમાં ખેતી

જીવનઝરમર

  • આઠ વર્ષની ઉમ્મરે કામે અમદાવાદમાં કામે ચઢી ગયા

  • અઢાર વર્ષની ઉમ્મરે લાગ્યું કે ભણવું જોઇએ, તેથી માત્ર દસ  મહીનામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.

  • ખેતી સાથે ધાર્મિક અને જીવનપ્રેરક સાહિત્ય વાંચતાં આત્મકલ્યાણ માટે સન્યાસ લેવા કાશી ગયા, પણ ગુરુ સ્વામી કેશવાનંદે સમાજકલ્યાણ માટે કામ કરવાની સલાહ આપી, આથી પાછા ગામ આવ્યા

  • બાળલગ્ન અને મૃત્યુભોજન જેવા કુરિવાજો સામે ઝુંબેશ.

  • આ ઝુંબેશથી તેમને લાગ્યું કે, સમાજોધ્ધારનો સાચો માર્ગ કેળવણી છે.

  • પાટીદાર સમાજમાં કેળવણી માટેની ઝુંબેશ.

  • 1920 – નગીનભાઇ પટેલના સહકારથી 24 વિદ્યાર્થીઓ સાથે કડીમાં પહેલો ‘કડવા પાટીદાર વિદ્યાર્થી આશ્રમ’ શરુ થયો.

  • બીજા વર્ષે 40ની સંખ્યા થઇ પણ 18 અધવચથી છોડીને જતા રહ્યા! અત્યંત સંઘર્ષ અને મુસીબતો વેઠીને આટલા પણ વિદ્યાર્થીઓ ભેગા થઇ શક્યા હતા.

  • 1922 – પહેલા ધોરણથી મેટ્રિક સુધીના  52 વિદ્યાર્થીઓ થયા. અને ત્રણ ધોરણ સુધીનું ‘કડવા પાટીદાર વિદ્યાલય’ શરુ થયું.

  • 1923 – કડી રેલ્વે સ્ટેશન સામે નવ વીંઘા જમીન લેવામાં આવી.

  • જાણીતા સાહિત્યકાર પીતાંબર પટેલ તેમના વિદ્યાર્થી.

  • બહુ જ સરસ વક્તૃત્વશક્તિ હતી અને શિક્ષણના પ્રચાર સાથે ધાર્મિક શિક્ષણ પણ વણી લેતા.

  • 1929 – મહાત્મા ગાંધીએ આશ્રમની મુલાકાત લીધી હતી.

  • 1934 – કન્યા કેળવણી માટે કન્યાકુંજની શરુઆત.

  • તેમણે રોપેલા બીજમાંથી કડી સર્વ વિશ્વવિદ્યાલય રચાયુ છે, જેમાં ઉચ્ચ શિક્ષણ્માટેની સાત સંસ્થાઓ સ્થપાઇ છે અને 3000 વિદ્યાર્થીઓ તેમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. આખી સંસ્થામાં 36,000ની સંખ્યા!  

પ્રદાન

  • કડી સર્વ વિદ્યાલય, કડી સર્વ વિશ્વવિદ્યાલય

તેમના જીવન વિશેનું પુસ્તક

  • ‘પ્રજ્ઞાદીપ છગનભા’ લેખક  – મોહનલાલ પટેલ

સાભાર

  • ગુજરાત ટાઇમ્સ , ન્યુયોર્ક

One Response to “છગનભા, Chhaganbha”

  1. Shah Pravinchandra Kasturchand Says:

    હું પણ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ,કડીનો વિદ્યાર્થી છું
    છગનભા!
    કેટલું મોટું કામ!
    કેટલું મોટું નામ!

    અમારા વખતમાં [૧૯૫૦] અમે એમને છગનભા નહીં,
    પણ છગનબાપા તરીકે ઓળખતા.
    હવે નામમાં શું?
    ભા કે બાપા.

    એવા જણને તો આપણા કોટિ પ્રણામ!

    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચન્દ

Leave a Reply