રવિશંકર મહારાજ

ravi_shankar_mah.jpg“ઘાસના એક તણખલાંનું બળ કેટલું? ઘણાં તણખલાં ભેગાં કરો તોય , પવનનો એક ઝપાટો આવે તો તણખલાંને ક્યાંય લઇ જાય.પણ એ બધાં તણખલાં ભેગાં થઇ અમળાય તો ? હાથીને બાંધી શકાય એટલું બળ એમાં આવે….. આપણે બધાં પ્રેમથી એકબીજા સાથે જોડાઇએ તો કોઇ દુઃખ ન રહે.”

“જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ છે.” – વિનોબા ભાવે

” જો ઇશ્વર અદલા બદલી કરવા દે અને તમે ઉદાર થઇ જાઓ તો તમારી સાથે જરૂર અદલા બદલી કરું.” – ગાંધીજી

# સંકલ્પનું બળ    - મહારાજ

 #  જીવન ઝાંખી  - 1 -     :     - 2 - 

# એક સરસ લેખ

_______________________

નામ

રવિશંકર વ્યાસ

ઉપનામ

મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી    

જન્મ

25 – ફેબ્રુઆરી, 1884 ( મહા શિવ રાત્રિ ) ; રઢુ ગામ ( જિ. ખેડા)

અવસાન

1 – જુલાઇ, 1984 , વડોદરા

કુટુમ્બ

  • પત્ની –  સૂરજબા 

અભ્યાસ

પ્રાથમિક - છ ધોરણ

વ્યવસાય

આજીવન સમાજ સેવા

જીવન ઝરમર

  • નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
  • 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
  • 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કર્યું  
  • 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
  • 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
  • 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
  • 1942 - ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
  • જેલમાં ગામઠી ગીતા સમજાવતા
  • આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત ; વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામravishankar_maharaj_2.gifravishankar_maharaj_2.gif
  • પાટણવાડીયા, બારૈયા કોમો અને બહાઅર વટાયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
  • 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
  • 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
  • આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર લુખ્ખી ખીચડી ! 
  • પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા 
  • 1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
  • 1984 સુધી જે કોઇ ગુજરાતના મૂખ્ય મંત્રી બને તે સોગંદ વિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી
  • 1975 – કટોકટીનો વિરોધ                                      

રચનાઓ  

મહારાજને લગતાં પુસ્તકો  –  

  • મહારાજની વાતો
  • વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
  • માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )

સન્માન

ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.

7 Responses to “રવિશંકર મહારાજ”

  1. અનુક્રમણિકા … ય - થી - જ્ઞ « ગુજરાતી પ્રતિભા પરિચય Says:

    [...] #  રવિશંકર વ્યાસ (મહારાજ) [...]

  2. Rajendra Trivedi,M.D. Says:

    I rember Maharaj as a child. He came to Ahmedabad MANY TIMES,
    OUR RAVISHANKER MAHARAJ WAS THE SECOND GANDHI OF GUJARAT.
    I WILL ALWAYS REMEMBER HIS SAY.”
    A PLATE OF BLADE OF GRASS WILL NOT LAST IN THE FORCE OF WIND BUT IF YOU MAKE A CORD OF MANY WILL TIE THE ELEPHANT.

  3. કલ્પેશ Says:

    શ્રી રવિશંકર મહારાજની અવસાન તારીખમાં ભુલ સુધારી લેશોજી.
    ૧૦૮૪ ની બદલે ૧૯૮૪ હોઇ શકે.

    આભાર

  4. સુરેશ જાની Says:

    ચિવટથી વાંચવા માટે આભાર ! સુધારો કર્યો છે.

  5. Kiritkumar G. Bhakta Says:

    સુરેશભાઈ,
    દાદાના સાચા સમાજસુધારના કામ પાટણવાડિયાકોમ માટેની હતી,
    હું તમને પુરક માહિતી મોકલીશ.આ સંતને સાદર પ્રણામ.

  6. સ્વાગત « ગદ્યસુર Says:

    [...] તેમના જીવન વીશે વાચો   – [...]

  7. Chirag Patel Says:

    દાદા, ‘રઢુ’ ગામ છે.

Leave a Reply