વિક્રમ સારાભાઈ
“No great importance is to be given to mere experience.”
“He who can listen to the music in the midst of noise can achieve great things.”
______________________ - હરીશ દવે
નામ
ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ
જન્મ
ઓગસ્ટ 12, 1919, અમદાવાદ
અવસાન
31 ડીસેમ્બર, 1971, ત્રિવેન્દ્રમ
કુટુમ્બ
પિતા - અંબાલાલ સારાભાઈ ગુજરાતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ; માતા - સરલાબેન ; ભાઇ બહેન - સાત; પત્ની -મૃણાલિની - જાણીતા નૃત્યકાર ; પુત્રી - મલ્લિકા - જાણીતા કલાકાર
અભ્યાસ
1939 - “ટ્રાઈપોસ” કેમ્બ્રિજ (ઈંગ્લેંડ) થી ; 1947 - પી.એચ.ડી. કેમ્બ્રિજ (ઈંગ્લેંડ)
વ્યવસાય
ભારતના અગ્રીમ ભૌતિક શાસ્ત્રી, અણુ-વિજ્ઞાની તથા અવકાશ-કાર્યક્રમોના પ્રણેતા
જીવન ઝરમર
પિતાના વિશાળ ઘર ‘રીટ્રીટ’ માં જ બધા ભાઇ બહેનો માટે શાળા, એક સમયે 11 જેટલા શિક્ષકો હતા, જેમાંના ઘણા પી.એચ. ડી. થયેલા હતા; બાળપણમાં ઘેર જાણીતી પ્રતિભાઓ લાંબા સમય સુધી રોકાતી- જેવાકે ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો; કારકીર્દિની શરૂઆતમાં ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ , બેંગલોર ખાતે સર સી. વી. રામન સાથે કોસ્મિક કિરણો પર રીસર્ચ ; એમ. આઈ. ટી. (અમેરિકા) માં થોડોક સમય વિઝિટીંગ પ્રોફેસર, 1956 અટીરા(અમદાવાદ)ની સ્થાપના અને માત્ર 37 વર્ષની ઉમ્મરે તેના ડિરેક્ટર ; ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી, અમદાવાદના પ્રથમ ડિરેક્ટર, 1962 -આઈ. આઈ. એમ. (અમદાવાદ) ની સ્થાપના; થુમ્બાના રોકેટ લોંચિંગ સ્ટેશન તથા ત્રિવેન્દ્રમ(થીરૂવનંથપુરમ)ના સ્પેસ સેંટરના સ્થાપક; ભારતના સ્પેસ રીસર્ચના પ્રણેતા; ભારતના એટમિક એનર્જી કમિશનના ચેરમેન; 1968 - યુનોની સ્પેસના શાંતિમય ઉપયોગ માટેની કોન્ફરન્સના ચેરમેન
સન્માન
1962- ભૌતિકશાસ્ત્ર માટે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ; 1966- ભારત સરકાર તરફથી પદ્મભુષણનો ઇલ્કાબ ; 1972 - ભારત સરકાર તરફથી મરણોત્તર પદ્મ વિભૂષણ ઇલ્કાબ
December 30, 2007 at 1:06 pm
[...] - જીવનઝાંખી [...]