સરદાર પટેલ
“ગરીબો ની સેવા ઇશ્વરની સેવા છે.”
“તમે હવે અહીંથી ટળો” (અંગ્રેજોને એક જાહેર સભામાં)
# જીવનઝાંખી
______________- અમિત પિસાવાડિયા
નામ
વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ
ઉપનામ
સરદાર – લોખંડી પુરુષ
જન્મ
ઓક્ટૉબર 31, 1875 , નડિયાદ - વતન કરમસદ
અવસાન
ડિસેમ્બર 15, 1950
કુટુંબ
પિતા - ઝવેરભાઇ ; માતા - લાડબાઇ
ભાઇ - વિઠ્ઠલભાઇ ; પત્ની - ઝવેરબા
પુત્રી - મણિબહેન ; પુત્ર - ડાહ્યાભાઇ.
અભ્યાસ
1912- બેરિસ્ટર, ઇંગ્લેન્ડ માં , બેરિસ્ટરની અંતિમ પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તિર્ણ; પચાસ પાઉન્ડનું ઇનામ મેળવ્યું.
વ્યવસાય
વકીલાત અને દેશસેવા.
જીવન ઝરમર
1916 - ગાંધીજી સાથે પ્રથમ સંપર્ક, સ્વાતંત્ર્ય માટેની દેશદાઝ
1917- અમદાવાદ મ્યુનિ.માં પ્રથમવાર સભ્ય, ગુજરાત કોગ્રેંસ પ્રાંતિક સભાની કારોબારી સમિતિનું મંત્રીપદ , વેઠપ્રથા સામે આંદોલન
1918 - અછતગ્રસ્ત ખેડા જિલ્લાના ખેડૂતો પાસેથી સરકાર દ્વારા વસૂલ કરાતા જમીન મહેસૂલની વિરૂદ્ધમાં ‘નાકર’ લડતનું સફળ સંચાલન
1920 - અમદાવાદ મ્યુનિ. ની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસની તમામ બેઠકો પર વિજય, પાશ્વાત્ય વસ્ત્રોનો ત્યાગ કરી ખાદી અપનાવી, તિલક સ્વરાજ ફંડ માટેની હાકલના જવાબમાં ગુજરાતમાંથી રૂ. 10 લાખનું ભંડોળ એકત્ર કરી કોંગ્રેસના ત્રણ લાખ સભ્યો બનાવ્યા; ગાંધીજી સાથે મળી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ણય
1921 - ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના પ્રથમ અધ્યક્ષ; ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે મળેલ 36 મા કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ
1922 - ગાંધીજી પ્રેરિત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માટે રંગુનમાંથી રૂ. 10 લાખનું ફંડ મેળવ્યું
1923 - અંગ્રેજ સરકાર સામે નાગપુરમાં સફળ ઝંડા સત્યાગ્રહ ; ‘હૈડિયા વેરો’ વિરુદ્ધ સત્યાગ્રહના કારણે વેરો રદ
1927 - ગુજરાતમાં અભૂતપૂર્વ રેલ સંકટ; રેલરાહત કાર્યો માટે સરકાર પાસેથી રૂ. 1 કરોડ મેળવ્યા
1928 - મહેસૂલ વધારા સામે બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ, ખેડૂતનેતા તરીકે ‘સરદાર’ નું ગૌરવવંતુ બિરુદ
1930 - દાંડી મીઠા સત્યાગ્રહ માટે પ્રચાર કરતાં રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, કોગ્રેસના કાર્યકારી પ્રમુખ, પુનઃ ધરપકડ અને યરવડા જેલમાં કારાવાસ
1931 - કરાંચી ખાતેના 46મા કોગ્રેસ અધિવેશનના પ્રમુખ
1932 - સરકાર વિરોધી આંદોલનોમાં નેતૃત્વ બદલ જાન્યુઆરીમાં યરવડા જેલમાં પૂ. ગાંધીજી સાથે 16 માસ સુધી નજરકેદ
1942 - ઑગસ્ટ 8 ના રોજ મુંબઇ ખાતે અખિલ હિંદ કોગ્રેસ કારોબારીની બેઠકમાં ‘હિંદ છોડો’ ના ઠરાવને અનુમોદન, ધરપકડ અને કારાવાસ
1946 - ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ
1947 - રાજ્યોના વિલીનીકરણની સમસ્યાના ઉકેલ અર્થે કેન્દ્ર સરકારમાં તેમના વડપણમાં એક નવા ‘રીયાસતી ખાતા’ ની રચના
15મી ઑગસ્ટે - સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી
1948 - ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર રાજયસંઘની રચના - જોધપુર, જયપુર, બિકાનેર, જેસલમેર, ઉદેપુર, ભરતપુર, રાજ્યોના બનેલ રાજસ્થાન સંઘનું ઉદઘાટન ; ગ્વાલિયર, ઇંદોર વિ. 23 દેશી રાજ્યોના મધ્ય ભારત સંઘ
1949 - ઉસ્માનિયા યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઓફ લૉઝ’ ની માનાર્હ પદવી એનાયત કરી.

સન્માન
- અનેક સંસ્થાઓ , રસ્તાઓ વિ. ના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા છે.
- અમદાવાદ અને દિલ્હીમાં તેમનાં સ્મારક સંગ્રહાલયો છે
- તેમના જન્મ સ્થાન કરમસદ ની બાજુના ગામ વલ્લભ વિદ્યાનગરમાં તેમના નામ થી - સરદાર વલ્લભભાઇ પટેલ યુનિવર્સિટી છે
- ગુજરાતની નર્મદા નદી પરના બંધથી બનેલા સરોવરનું નામ ’સરદાર સરોવર’ અને અમદાવાદના ઇન્ટર નેશનલ એરપોર્ટ નું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
September 1, 2006 at 1:19 pm
સરદાર પટેલ વિશે ન જાણેલુ જાણ્યું..
ખુબજ સરસ, આનંદ થયો
October 30, 2006 at 3:17 pm
ભાઇ શ્રી
આપના આ લેખ ને મૈં હિન્દી વાચકો માટે અનુવાદ કરૂં છૂં આશા છે આપને આપત્તી નહીં હશે|
જો આપને યોગ્ય ના લાગતો હોય તો કહેશોજી અનુવાદ અને પોસ્ટ ને મિટાડી દઈશૂ જી|
October 31, 2006 at 4:23 pm
[...] - જીવનઝાંખી [...]
December 15, 2006 at 1:06 am
[...] - જીવનઝાંખી [...]
December 14, 2007 at 7:02 pm
[...] - જીવનઝાંખી [...]
December 18, 2007 at 10:14 am
WEARE TAKING PRIDE FOR THIS PATEL WE NEED MORE LIKE HIM FOR THE GUJARAT TO RUN OUR NATION.
December 18, 2007 at 10:19 am
SARDAR PATEL- IRON MAN OF THE NATION.
LET US GUJARAT BE SHINING STAR AS EVER LIKE LEADES,FATHER OF THE NATION AND FUTURE GENERATION FOR “BHARAT”. HINDUSTAN’
http://WWW.BPAINDIA.ORG
PADMASHREE DR.JAGDISH KASHIBHAI PATEL
THE TRIVEDIS