ભગવતસિંહજી - ગોંડલ નરેશ

- સજય શીલ ને સત્ય શ્રેષ્ઠ ધર્યો સિદ્ધાંત એ,
ભજે પ્રજાજન ભૃત્ય જય જય ભગવત ભગવતી
____________- અમિત પિસાવાડિયા
નામ
ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા
ઉપનામ
ગોંડલ બાપુ
જન્મ
24 મી ઓક્ટોબર 1865 , કારતક સુદ પાંચમ – ધોરાજી
અવસાન
9 મી માર્ચ 1944.
કુટુંબ
માતા – મોંઘીબા
પિતા – સંગ્રામ સિંહ;
લગ્ન – 1882 – ચાર રાણીઓ સાથે ;
પટરાણી - નંદકુંવરબા ( પડદાના રિવાજને તોડનાર, મહિલાઓની ઉન્નતિ સાધવાના તેમના પ્રયાસો માટે મહારાણી વિક્ટોરિયાએ તેમને ‘ક્રાઉન ઓફ ઇન્ડીયા’ નો ખિતાબ આપેલો હતો. )
સંતાનો - ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા.
અભ્યાસ
નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં;
1987 - સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ)
1890 – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી.
1895 – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે
વ્યવસાય
રાજકર્તા
મૂખ્ય કૃતિઓ
ભગવદ્ ગોમંડલ - નવ ભાગ - ગુજરાતી વિશ્વકોષ
જીવન ઝરમર
1884- 25 ઓગસ્ટ રાજ્યાભિષેક
1930-33 – કરોડો રૂપિયાના લોકોપયોગી કાર્યો - પુલો, નિશાળો, રસ્તા, ધોરાજી અને ઉપલેટામાં જળી, ટ્રામની સગવડ; ગોંડલ, ધોરાજી અને ઉપલેટા દેશનાં શ્રેષ્ઠ શહેરો ગણાયા; ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી, ગોંડલમાં તે જમાનામાં અન્ડર ગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા, અન્ડર ગ્રાઉન્ડ વીજળીનું પ્લાનીંગ અને રાજ્યનાં તમામ ગામડાંઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલાં હતાં,
શિક્ષણ ક્ષેત્ર – કન્યા કેળવણી મફત અને ફરજિયાત બનાવી
વૃક્ષપ્રેમ - ગોંડલ સ્ટેટ ના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યાં હતાં, પરિણામે વટેમાર્ગુ વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતો.
પુસ્તક પ્રકાશન – કોઇ પણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્દગોમંડલના કુલ નવ દળદાર ગ્રંથોના 9870 જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોશ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ.
ગોંડલ સ્ટેટ નુ રાજ ચિહ્ન

સન્માન
1897 - મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલીમાં કાઠીયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અને જી.સી.આઇ.ઇ. નો ઇલકાબ
1934 - તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતાં, પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી, સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું.
_______________________________________________
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત :
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,
નંદનવન અણમોલ -
વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,
ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય.
સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,
નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.
કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,
કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.
રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,
પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.
July 31, 2006 at 12:29 pm
મિત્રો , શ્રી ભગવતસિંહજી વિશે કવિવર ગૌરી ના શબ્દો ::
ભગવત - ગુણભંડાર
સુવર્ણ મહોસ્સવ સાંભળી, હલક્યો દેશ હાલાર,
ગરવી ગોંડલ ગોંદરે, ભગવત - ગુણભંડાર.
પિંજરે પક્ષી ન પૂર્યાં, કદી ન કર્યો શિકાર,
ફાંસી ફરમાવી નહીં, ભગવત - ગુણભંડાર.
ઘરવેરો ઘડ્યો નથી, પાણીવેરો પાડ્યો નથી,
ચોપગાનો ચડ્યો નથી, વેરો કર વાટનો.
આવક જાવક અને ઉભડ ઉપર નથી,
કર નથી વસવાયાં, કારીગર ઘાટનો.
દાદાયે થાપેલ દાણ, ક્યારનુંય કાઢી નાખ્યું,
કાઢી નાખ્યો કૃપા કરી, વેરો વાટ હાટનો.
ગોંડલનું ગૌરવ વધ્યું છે, કવિ ગૌરી કહે,
જોટો નહિ જોયો ભૂપ ભગવત સમરાટનો.
તુષ્ટ થાય નહિ સ્તુતિ થકી નિંદાથી ન અતુષ્ટ,
એ ભગવતને અનુગ્રહે થયો ચિત્ત સંતુષ્ટ.
August 3, 2006 at 3:46 am
જોટો નહીં જોયો ભૂપ ભગવત સમ્રાટનો !
કવિવર ગૌરીને નમસ્કાર !ગોંડલ નરેશ્
શ્રી.ભગવતસિંહજી ને પણ નમન !
શ્રી.અમિતભાઈનો ખૂબ જ આભાર !
September 1, 2006 at 10:03 pm
gondal ma vitavelu balpan yaad aavi gayu. bhagvatsinhji na sara karyoni je mahiti aapi chhe te vanchi man gadgad thay jay chhe ane gaurav thay chhe ke mane bhagvatsinhji na gondalma rahevano moko malyo aasha rakhu ke fari vaar aa gondal gokuliyu ane radiyamanu bane. amitbhaine aatlli sundar mahiti mokalava badal ane badha gujarati lokone bhagvatsinhji no parichay karavava badal khoob khoob aabhar
March 9, 2007 at 1:03 am
[...] જીવનઝાંખી [...]
August 2, 2007 at 11:02 am
૨૦૦૦ની સાલમાં રાજેન્દ્ર દવેએ ‘ભગવત–ગુણભંડાર’–ગોંડલ નરેશ મહારાજા ભગવતસીંહજીની ગૌરવગાથા નામનો ૨૩૧ પાનાંનો ગ્રંથ પ્રકાશીત કરેલો. પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટના એ પ્રકાશનનું મુલ્ય છે ૧૫૫ રુપીયા; પણ ભુજના એક ટ્રસ્ટે તે ઉપર રુ. ૫૫ની સબસીડી આપી દરેકને તે રુ.૯૫માં મળે તેવી સગવડ કરી છે. આમ તો આ પુસ્તક, તેમાંથી ‘ભગવત ગોમંડળ’ની ગાથા જાણવા મેં ખરીદેલું. તે સઘળી માહીતી તો મને સંક્ષેપમાં તેમાંથી મળી જ; પરંતુ પાને પાને આ રાજવીનું જે ચીત્ર ઉપસે છે તેનાથી હું તો આ રાજવી પર મોહીત છું.. સાથે દરેક ગુજરાતી આ પુસ્તક વાંચે તેવી આરત જાગે છે..ઉત્તમ અને મધુ..
September 5, 2007 at 4:15 pm
aemno janam dhoraji ma thaiyo e jani ne bahu garav thaiyo…..